Home> Entertainment
Advertisement
Prev
Next

કાર્તિક આર્યન જલ્દી કરશે ધમાકો, આ ફિલ્મમાં આવશે નજર

કાર્તિક આર્યને તેના જન્મદિવસે ચાહકો માટે એક ધમાકાની જાહેરાત કરી છે. કાર્તિક રામ માધવાની અને રૉની સ્ક્રૂવાલા સાથે પોતાની આગામી ફિલ્મ 'ધમાકા' કરવા જઈ રહ્યો છે. જન્મદિવસના મોકા પર કાર્તિકે આ વાત શેર કરી છે. નીરજા અને આર્યાની સફળતા બાદ, નિર્દેશક-નિર્માતા રામ માધવાની કાર્તિક આર્યન સાથે ધમાકા કરવા માટે તૈયાર છે.

કાર્તિક આર્યન જલ્દી કરશે ધમાકો, આ ફિલ્મમાં આવશે નજર

ઝી મીડિયા, અમદાવાદ: કાર્તિક આર્યને તેના જન્મદિવસે ચાહકો માટે એક ધમાકાની જાહેરાત કરી છે. કાર્તિક રામ માધવાની અને રૉની સ્ક્રૂવાલા સાથે પોતાની આગામી ફિલ્મ 'ધમાકા' કરવા જઈ રહ્યો છે. જન્મદિવસના મોકા પર કાર્તિકે આ વાત શેર કરી છે. નીરજા અને આર્યાની સફળતા બાદ, નિર્દેશક-નિર્માતા રામ માધવાની કાર્તિક આર્યન સાથે ધમાકા કરવા માટે તૈયાર છે.

સુરતના મૌલાના સાથેના લગ્નની ખબર પર સનાએ મારી મહોર, PHOTO શેર કરીને કહ્યું કે...

મુંબઈ પર આધારિત આ ફિલ્મનું નિર્માણ રૉની સ્ક્રૂવાલાની આરએસવીપી અને રામ માધવાની ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. રૉનીની ફિલ્મો જેવી કે 'રંગ દે બસંતી', 'ઉરી', 'જોધા અકબર', 'સ્વદેશ', 'રાજનીતિ' અને 'બર્ફી'એ સારી સફળતા મેળવી હતી. આ ફિલ્મ અલગ રીતે શૂટ કરવામાં આવશે. જેમાં આખી કાસ્ટ અને ક્રૂ કોવિડ બબલ બનાવશે.

સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચુકેલા આ એક્ટરે 4 વખત કર્યો આપઘાતનો પ્રયાસ

ફિલ્મની કહાનીમાં એક ઘટનાની શ્રૃંખલા સામે આવે છે જ્યારે એક રિપોર્ટરને એક અજાણ્યો ફોન આવે છે, જે બાંદ્રા-વર્લી સી લિંકને ઉડાવવાની ધમકી આપે છે. રૉનીએ શેર કર્યું કે, "હું રામ અને કાર્તિક સાથે કામ કરવા માટે રોમાંચિત છું અને પહેલી વાર સાથે આવવા માટે આના કરતા સારું બીજું કોઈ ન હોય શકે. જ્યારે રામ મારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવ્યા, ત્યારે મને ખબર હતી કે હું તેને ગુમાવવા નથી માંગતો. જ્યારે અમે કાર્તિકને સ્ક્રિપ્ટ સંભળાવી તો, તેની પાસેથી અમને પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા મળી."

ફિલ્મના પોસ્ટમાં બાંદ્રા-વર્લી સી લિંકમાં આગ લાગી હોય તેવું જોવા મળે છે. સાથે કાર્તિક આર્યન એક અલગ જ અવતારમાં જોવા મળી રહ્યા છે. કાર્તિક લાંબા વાળ સાથે ચશ્મામાં જોવા મળ્યા. ચાહકો તેના આ અવતારને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કાર્તિક આર્યના થ્રિલર ઝોનમાં કદમ રાખવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. કાર્તિક ફિલ્મમાં એવા પત્રકારની ભૂમિકામાં છે, જે મુંબઈ આતંકી હુમલાના લાઈવ પ્રસારણને કવર કરે છે. 

કાર્તિક આર્યને કહ્યું કે, "આ મારા માટે એક જાદુઈ પટકથા છે અને નરેશન વખતે હું રસથી સાંભળતો હતો. મને ખબર છે કે આ પટકથા અભિનેતા તરીકે મારો અલગ પક્ષ બતાવવાનો અવસર આપશે. હું ખુદને રામ સરની દુનિયામાં લઈ જવા માટે આતુક છું અને તેમની દ્રષ્ટિથી ખુદને મોટા પડદા પર જોવા માંગું છું. આ પહેલી વાર છે કે અમે સાથે કામ કરી રહ્યા છે, હું આ યાત્રાની રાહ જોઈ રહ્યો છું."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More